
શરદ પવારે કહ્યું કે રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપનું સારી રીતે સંશોધન કરવામાં આવ્યું છે અને તે દસ્તાવેજાે પર આધારિત છે
શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) ના વડા ઉદ્ધવ ઠાકરે સાથે જાેડાયેલા વિવાદ પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (દ્ગઝ્રઁ શરદ પવાર જૂથ)ના વડા શરદ પવારે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા આયોજિત ડિનરમાં ઉદ્ધવ ઠાકરેને છેલ્લી હરોળમાં બેસાડવાનો વિવાદ બિનજરૂરી છે. નોંધનીય છે કે, ગુરુવારે (સાતમી ઓગસ્ટ) કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના નિવાસસ્થાને વિપક્ષી ગઠબંધનના નેતાઓ માટે ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે પણ ત્યાં હાજર હતા. તસવીરોમાં તે છેલ્લી હરોળમાં બેઠેલા જાેવા મળ્યા હતા. આ તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થતા વિવાદ સર્જાયો હતો.
નાગપુરમાં એક પત્રકાર પરિષદને સંબોધતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (દ્ગઝ્રઁ શરદ પવાર જૂથ)ના વડા શરદ પવારે કહ્યું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપનું સારી રીતે સંશોધન કરવામાં આવ્યું છે અને તે દસ્તાવેજાે પર આધારિત છે. આ મામલાની તપાસ કરવાનું કામ ચૂંટણીપંચ (ઈઝ્રૈં)નું છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા વિપક્ષ મહા વિકાસ અઘાડીએ વધુ સાવચેત રહેવું જાેઈતું હતું. આ વાત પહેલા ધ્યાનમાં લેવી જાેઈતી હતી અને સાવચેતી રાખવી જાેઈતી હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંગે શરદ પવારે દાવો કર્યો હતો કે, વર્ષ ૨૦૨૪ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા બે લોકો મને નવી દિલ્હીમાં મળ્યા હતા અને ૨૮૮ બેઠકોમાંથી ૧૬૦ બેઠક પર વિપક્ષની જીતની ખાતરી આપી હતી. મે આ બંનેનો પરિચય વિપક્ષી નેતા રાહુલ ગાંધી સાથે કરાવ્યો હતો. જાેકે, બંને વ્યક્તિઓના દાવાઓને કોઈ મહત્ત્વ આપ્યું ન હોવાથી, અમારી પાસે તેમના નામ અને સંપર્ક વિગતો નથી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (જીૈંઇ)ને સંસ્થાકીય ચોરી ગણાવી છે. તેમણે દાવો કર્યો હતો કે, ચૂંટણી પંચ ગરીબોના મતદાન અધિકાર છીનવી લેવા માટે આ ચોરી કરવા માટે ભાજપ સાથે ખુલ્લેઆમ સાંઠગાંઠ કરી રહ્યું છે.
