
બરડા વન્યજીવ અભયારણ્યમાં વન્યજીવનની વિવિધતા વધારવા માટે
ગુજરાત વન વિભાગે જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજીકલ, રેસ્ક્યુ એન્ડ રીહેબિલિટેશન સેન્ટર કાર્યરત છે તેવી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વાનતારા સાથે મળીને 33 ચિત્તલ (હરણ)ને નિયુક્ત સુરક્ષિત વિસ્તારમાં મુક્ત કર્યા છે.
આ હરણને જામનગરમાં વાનતારાની એક્સ-સીટુ કન્ઝર્વેશન સુવિધામાંથી ખાસ તૈયાર કરેલી
એમ્બ્યુલન્સમાં બરડા વન્યજીવ અભયારણ્યમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ, ઇકોલોજીકલ
યોગ્યતા અને સહાયક પ્રણાલીઓની તૈયારીની ખાતરી કર્યા પછી, વન વિભાગની દેખરેખ હેઠળ
હરણોને છોડવામાં આવ્યા હતા. વાનતારાએ સ્થાપિત સંરક્ષણ પ્રોટોકોલનું પાલન સુનિશ્ચિત
કરવા માટે ટેકનિકલ અને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો. ગ્રીન્સ ઝૂઓલોજિકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરના ડિરેક્ટર ડૉ. બ્રિજ કિશોર ગુપ્તાએ જણાવ્યું: "આ પહેલ બરડા વન્યજીવ અભયારણ્યની જૈવવિવિધતાને પુનઃસ્થાપિત અને સમૃદ્ધ
કરવા માટે એક મુખ્ય પગલું છે.
ભૂતકાળમાં પણ આ ચિત્તલ અહીં વસવાટ કરતા હતા, અને
તેમનો ફરીથી પ્રવેશ વૈજ્ઞાનિક રીતે મહત્વપૂર્ણ છે અને તે વસવાટના પુનરુત્થાન માટે પણ એક
સંકેત છે. ઇકોલોજીકલ મૂલ્યાંકનો, પ્રજાતિ પુનઃપ્રાપ્તિ આયોજન અને આંતર-એજન્સી સહયોગ
પર આધારિત ગુજરાત વન વિભાગનો સક્રિય અભિગમ સમગ્ર રાજ્યમાં સંરક્ષણ માળખાને
મજબૂત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રયાસો જાહેર સંસ્થાઓ અને
વાનતારા જેવી સંસ્થાઓ વચ્ચેની ભાગીદારીની પરિવર્તનશીલ સંભાવનાને પણ દર્શાવે છે, જ્યાં
નિપુણતા અને સંસાધનોની સહભાગીતા નોંધપાત્ર સંરક્ષણ પરિણામો આપી શકે છે અને
ભારતમાં વન્યજીવન વ્યવસ્થાપન માટે નવા માપદંડો સ્થાપિત કરી શકે છે."
પોરબંદર જિલ્લામાં 192.31 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું બરડા વન્યજીવ અભયારણ્ય જૈવિક
રીતે સમૃદ્ધ આશ્રયસ્થાન છે. વિવિધ વનસ્પતિ સંગ્રહ માટે જાણીતું અભયારણ્ય વિવિધ
વન્યજીવોના વસવાટ સ્થાપવામાં સહાયક બન્યું છે, જે વન્યજીવનની વિશાળ શ્રેણીને ટકાવી રાખે છે.
રાજ્ય સરકારના ડેટા અનુસાર, બરડામાં ચિત્તા, ઝરખ, વરુ, શિયાળ અને જંગલી ડુક્કર
જેવા શિકારી પ્રાણીઓ ઉપરાંત રોઝ (નીલગાય) જેવા શાકાહારી પ્રાણીઓની પણ ઘણી વસતિ
છે. આ અભયારણ્યમાં સ્પોટેડ ઇગલ અને ક્રેસ્ટેડ હોક-ઇગલ સહિત અનેક દુર્લભ અને લુપ્તપ્રાય
પક્ષીઓની પ્રજાતિઓ પણ રહે છે, જે તેને શિકારી અને અન્ય જંગલ-આશ્રિત પક્ષીઓ માટે એક
મહત્વપૂર્ણ આશ્રય બનાવે છે. ઐતિહાસિક રીતે, બરડામાં સાંભર, ચિત્તલ અને ચિંકારાની વસતિ ખૂબ હતી જે સમય જતાંરહેઠાણના વિભાજન અને અન્ય ઇકોલોજીકલ દબાણને કારણે ઘટી ગઈ છે. અભયારણ્યનાઅખંડ નિવાસસ્થાન અને ઇકોલોજીકલ ક્ષમતાને ઓળખીને,
વન વિભાગે આ મૂળ શાકાહારીપ્રાણીઓને ફરીથી રજૂ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે, જેનો હેતુ ટ્રોફિક સંતુલન પુનઃસ્થાપિતકરવાનો અને કાર્યાત્મક સંરક્ષણ લેન્ડસ્કેપ તરીકે અભયારણ્યની ભૂમિકાને મજબૂત કરવાનો છે.
બરડામાં આ પહેલ સરકારની આગેવાની હેઠળના સંરક્ષણ પ્રયાસોની નિરંતરતા દર્શાવે છે, જેમાં
વાનતારા વૈજ્ઞાનિક નિપુણતા, પશુચિકિત્સા સંભાળ અને તકનીકી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું યોગદાન
આપીને એક પ્રતિબદ્ધ ભાગીદાર તરીકે સેવા આપી રહ્યું છે. સાથે મળીને, આ સહયોગી પ્રયાસો
ઇકોસિસ્ટમને મજબૂત કરી રહ્યા છે અને ભારતની સમૃદ્ધ જૈવવિવિધતાનું રક્ષણ કરી રહ્યા છે,
એટલું જ નહીં પરંતુ દેશભરમાં ભવિષ્યના સંરક્ષણ પહેલ માટે એક મોડેલ પણ સ્થાપી રહ્યા છે.
